એણે કીધું એક સ્ત્રી થઈને
તું કવિતાઓમાં શું લખીશ....
પોતાની પીડાનું આશ્વાસન કે પછી હર પળે તુટતા
આત્મવિશ્વાસને પાછો પામીશ ?
બળવાખોરી કરીશ તારી જાત સાથે કે-
પછી સ્વતંત્ર ઝુંબેશ કરીશ પોતાના માટે,
વિકટ અવસ્થાઓની વેદનાઓને વાચા આપવા માટે ?
કે , તારા હૃદયમાં ઉમટેલા અભરખાઓને કેવી રીતે દાટી દીધા;
એની મુક વેદનાને વાચા આપવા માટે ?
-નંદીની....
તું કવિતાઓમાં શું લખીશ....
પોતાની પીડાનું આશ્વાસન કે પછી હર પળે તુટતા
આત્મવિશ્વાસને પાછો પામીશ ?
બળવાખોરી કરીશ તારી જાત સાથે કે-
પછી સ્વતંત્ર ઝુંબેશ કરીશ પોતાના માટે,
વિકટ અવસ્થાઓની વેદનાઓને વાચા આપવા માટે ?
કે , તારા હૃદયમાં ઉમટેલા અભરખાઓને કેવી રીતે દાટી દીધા;
એની મુક વેદનાને વાચા આપવા માટે ?
-નંદીની....
No comments:
Post a Comment